પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ ફિનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો
ગોમતીપુરમાં ૧૫ દિવસથી મજૂરી કરવા માટે ગયા ન હોવાથી પત્નીએ ટકોર કરી હતી
પત્નીને મારઝૂડ કરી માનસિક તેમજ શારિરીક ત્રાસ આપતો હતો
Updated: Oct 25th, 2023
અમદાવાદ, બુધવાર
ગોમતીપુરમાં પતિને કામ ધંધો કરવા માટે ટકોર કરતા પતિએ પત્નીને માર માર્યો હતો. ગૃહ કલેશથી કંટાળીને મહિલાએ ફિનાઇલ પીને આત્મહત્યાની કોશિષ કરી હતી, હાલમાં મહિલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લગ્નના ૨૦ વર્ષ પછી ગૃહ કલેશ, પતિ અવાર નવાર પત્નીને મારઝૂડ કરી માનસિક તેમજ શારિરીક ત્રાસ આપતો હતો
ગોમતીપુરમાં પરિવાર સાથે રહેતી મહિલાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના લગ્ન ૨૦ વર્ષ પહેલા થયા હતા અને હાલમાં તેમને સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. મહિલાના પતિ છૂટક મજૂરી કરે છે. પરંતુ તેઓ મોટાભાગે તેઓ મજૂરી કરવા જતા ન હતા અને છેલ્લા ૧૫ દિવસથી મજૂરી કરવા માટે ગયા ન હોવાથી પત્નીએ કામ ધંધો કરવા માટે ટકોર કરી હતી. આ સાંભળીને પતિએ બિભત્સ શબ્દો બોલીને પત્ની સાથે મારઝૂડ કરી હતી.
એટલુ જ નહીં, પતિ દારૃ પીવાની ટેવ વાળો હોવાથી અવાર નવાર પત્ની સાથે તકરાર કરતો હતો અન ેમારતા પણ ે હતો. આખરે કંટાળીને ગઇકાલે મહિલાએ બાથરૃમમાં જઇને ફિનાઇલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ દિકરીને થતા તેણે ૧૦૮ મારફતે માતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે પતિ સામે માનસિક તેમજ શારિરીક ત્રાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.